નવી દિલ્હી: એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જે બાદ એરક્રાફ્ટને દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. થોડા સમય પછી પ્લેન ફરીથી ટેક ઓફ કરશે.
એર ઈન્ડિયાના AI185માં ટેકનિકલ ખામીનો મામલો છે. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ફ્લાઇટ દિલ્હીથી કેનેડાના વાનકુવર માટે ઉડાન ભરી હતી. ટેકઓફના થોડા સમય બાદ તેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. એરક્રાફ્ટ દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ થયું હતું.