દિલ્હીની કેજરીવાલ સરકારે વર્ષ 2024-25 માટે વિધાનસભામાં 76,000 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. કેજરીવાલ સરકારનું આ બજેટ દિલ્હી સરકારના નાણામંત્રી આતિષીએ ગૃહમાં રજૂ કર્યું હતું.
નાણામંત્રી તરીકે આતિશીનું આ પહેલું બજેટ છે અને કેજરીવાલ સરકારનું 10મું બજેટ છે. દિલ્હી સરકારે લોકસભા ચૂંટણી પહેલા આ બજેટ રજૂ કર્યું છે.
કેજરીવાલ સરકારે નાણાકીય વર્ષ 2024-25ના રૂ. 76,000 કરોડના બજેટમાં તબીબી, શિક્ષણ, મહિલાઓ અને અન્ય ક્ષેત્રોમાં કલ્યાણકારી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
નાણામંત્રી આતિશીના આ બજેટમાં કેજરીવાલ સરકારે દિલ્હીની મહિલાઓ અને દીકરીઓને મોટી ભેટ આપી છે. કેજરીવાલ સરકાર મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ 18 વર્ષ અને તેથી વધુ વયની દરેક મહિલાને દર મહિને 1,000 રૂપિયા આપશે.
નાણામંત્રી આતિશીના આ બજેટમાં કેજરીવાલ સરકારે દિલ્હીની મહિલાઓ અને દીકરીઓને મોટી ભેટ આપી છે. કેજરીવાલ સરકાર મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ 18 વર્ષ અને તેથી વધુ વયની દરેક મહિલાને દર મહિને 1,000 રૂપિયા આપશે.
આ સિવાય દિલ્હીમાં સત્તામાં આવ્યા બાદ સ્વાસ્થ્ય ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરી રહેલી કેજરીવાલ સરકારે આ વર્ષના બજેટમાં સ્વાસ્થ્ય ક્ષેત્ર પર પણ વિશેષ ધ્યાન આપ્યું છે. દિલ્હી સરકારે 2015ના બજેટમાં સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે 8,685 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
કેજરીવાલ સરકાર તેની ઉત્તમ શિક્ષણ પ્રણાલી અને સરકારી શાળાઓમાં શિક્ષણના ઉચ્ચ ધોરણો માટે જાણીતી છે. આ બજેટમાં પણ દિલ્હી સરકારે શિક્ષણ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપ્યું છે. શિક્ષણ ક્ષેત્ર માટે 16,396 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે વ્યક્તિનો જીવ બચાવવો એ પણ રામ રાજ્ય છે. તેમણે કહ્યું કે થોડા વર્ષો પહેલા દિલ્હીમાં લોકો અકસ્માત પીડિતોની મદદ કરતા ડરતા હતા, પરંતુ કેજરીવાલ સરકારે ફરિશ્તે દિલ્હી યોજના શરૂ કરી, જેમાં દિલ્હી સરકાર અકસ્માત પીડિતોની સારવારનો ખર્ચ ઉઠાવે છે. તેમણે કહ્યું કે આ અંતર્ગત સરકારે 22,000 લોકોના જીવ બચાવ્યા છે.
દિલ્હીના લોકોના કલ્યાણ માટે દિલ્હીમાં કેજરીવાલ સરકારની વિવિધ નીતિઓ અને પહેલોનો ઉલ્લેખ કરતા નાણામંત્રીએ દાવો કર્યો કે 2014 થી 2024 સુધીમાં મોટા પાયે ફેરફારો થયા છે. આ સાથે આતિશીએ વધતી અર્થવ્યવસ્થા, માથાદીઠ આવક બમણી, બાળકો માટે શાળાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગરીબો માટે મફત તબીબી સારવારનો ઉલ્લેખ કર્યો.