દ્વારકા જગત મંદિરમાં ગુજરાત ઉપરાંત વિશ્વભરમાંથી લોકો દર્શન કરવા આવે છે.
જગત મંદિરના શિખર પર ધ્વજ લહેરાવવાનું વિશેષ મહત્વ છે અને દેશભરમાંથી લોકો ધ્વજ ફરકાવવા માટે મહિનાઓ સુધી રાહ જોતા હોય છે. હાલમાં દ્વારકા જગત મંદિરમાં ધ્વજારોહણ કરવા માટે વર્ષ 2024 સુધીની લાંબી રાહ જોવાઈ રહી છે. દ્વારકા જગત મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો આવે છે. દ્વારકા જગત મંદિરમાં ગુજરાત ઉપરાંત વિશ્વભરમાંથી લોકો દર્શન કરવા આવે છે.
આજથી દ્વારકાધીશ જગત મંદિરમાં દરરોજ 6 ધ્વજારોહણ કરવામાં આવશે અને આ 15 દિવસ દરમિયાન જગત મંદિરના શિખર પર દરરોજ 05ને બદલે 6 ધ્વજાઓ ફરકાવવામાં આવશે.
દ્વારકા જગત મંદિર જગત મંદિરના ઈતિહાસમાં સૌપ્રથમવાર બિપરજોય વાવાઝોડા દરમિયાન સુરક્ષાના કારણોસર ચાર-પાંચ દિવસ સુધી ધ્વજારોહણ થયું ન હતું, જેથી જગત મંદિર સમિતિએ નિર્ણય કર્યો છે કે જે શ્રદ્ધાળુઓએ ધ્વજારોહણ કર્યું નથી. તે દરમિયાન આજથી ધ્વજ ફરકાવવામાં આવશે.