દ્વારકા: દ્વારકા-પોરબંદર હાઈવે પર આજે સવારે અકસ્માત સર્જાયો હતો. દ્વારકા-પોરબંદર હાઈવે પર કાર પલટી ગઈ હતી. કારમાં 7 લોકો સવાર હતા. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય 5 ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દ્વારકા-પોરબંદર હાઈવે પર ભીમપરા ગામ પાસે કાર પલટી ગઈ હતી. કાર પલટી જતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. ઘટના અંગે સ્થાનિક લોકોએ પોલીસ અને 108ને જાણ કરી હતી. જે બાદ પોલીસ અને 108 ઘટના સ્થળે પહોંચી હતી.
જેમાં એક બાળક અને એક વ્યક્તિનું મોત થયું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર, કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં આ ઘટના બની હતી. કારમાં સવાર એક બાળક અને એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય લોકોને દ્વારકાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત મહિલા પૈકી એકની હાલત વધુ લથડતાં તેને જામનગર રીફર કરવામાં આવી હતી.
પોલસ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી
આ ઘટનાની પ્રાથમિક તપાસ પોલસ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં મૃતક બાળકનું નામ પ્રિન્સ અને યુવકનું નામ અનિલ બારોટ જણાવ્યું છે. આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અકસ્માત અંગે પીડિત પરિવારને જાણ કરી હતી.
અમદાવાદ-મહેસાણા હાઈવે પર એક ઝડપી કારે ત્રણ મજૂરોને ટક્કર મારી હતી.
અમદાવાદ-મહેસાણા હાઈવે પર એક ઝડપી કારે ત્રણ મજૂરોને ટક્કર મારતાં તેઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અમદાવાદ-મહેસાણા હાઈવે પર છત્રાલ નજીક પ્રેસ્ટિજ હોટલ પાસે એક સ્વિફ્ટ કારે રોડ ક્રોસ કરી રહેલા ત્રણ મજૂરોને ટક્કર મારી હતી. આ ઘટના અંગે મુસાફરોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ કલોલ તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે કાર ચકલ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.