ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં મંદિર પ્રશાસને મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં દ્વારકા બાદ ડાકોરના રણછોડરાય મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તે માટે ભક્તો અને વૈષ્ણવોને અપીલ કરવામાં આવી છે. આ માટે મંદિર પરિસરમાં નોટિસ પણ લગાવવામાં આવી છે.