પાટણ તાલુકાના ધારપુર હોસ્પિટલ સામે દરેક ઘરે ત્રિરંગો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મુખ્યમાર્ગ પરથી પસાર થતા પદયાત્રીઓ અને વાહન ચાલકોને ત્રિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ઉપસ્થિત પાટણ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિવેક પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. . ત્યારે પાટણ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા તમામ 14 મંડળોમાં યુવા મોરચા દ્વારા આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે પાટણ તાલુકા ભાજપ યુવા મોરચા વતી ધારપુર મેડિકલ હોસ્પિટલ સામે તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મંત્રી જયરામ દેસાઈ, યુવા મોરચાના જિલ્લા મહામંત્રી પાર્થ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી હરિ પટેલ, ઉપપ્રમુખ જિલ્લા યુવા મોરચા બલદેવજી ઠાકોર, તાલુકા યુવા મોરચાના પ્રમુખ વિરલભાઈ પટેલ, પૂર્વ તાલુકા ભાજપ મહામંત્રી વિરેશભાઈ વ્યાસ, પ્રદેશ પ્રભારી પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. યુવા મોરચાના કારોબારી સભ્યો શ્યામભાઈ દેસાઈ, તાલુકા યુવા મોરચાના મહામંત્રી ઈન્દ્રજીતસિંહ રાજપૂત, પાટણ વિધાનસભાના પ્રમુખ પાર્થભાઈ સાવલીયા, તાલુકા પંચાયત ન્યાય સમિતિના પ્રમુખ નરેશભાઈ પરમાર, તાલુકા યુવા મોરચાના પૂર્વ પ્રમુખ રાહુલભાઈ પટેલ, તાલુકા બક્ષી પંચ મોરચાના મહામંત્રી ગોવિંદભાઈ પ્રજાપતિ અને અન્ય યુવા મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મોરચાના કાર્યકરો હાજર રહ્યા હતા.