નરેન્દ્ર મોદીના સફળ શાસનના નવ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા થરાદ તાલુકામાં ડોર ટુ ડોર સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. થરાદ શહેરના દરેક વોર્ડમાં ટૂંકા ગાળાના પ્રચારકની નિમણૂંક કરવામાં આવી છે, પ્રચારક સ્થાનિક લોકોની સાથે દરેક ઘરની મુલાકાત લઈ રહ્યા છે, વોર્ડના કાર્યકરો મોદી સરકારની કામગીરી વિશે લોકોને માહિતગાર કરી રહ્યા છે
થરાદ વોર્ડ નંબર 1 માં ટૂંકા ગાળાના પ્રચારક જેહાભાઈ, સ્થાનિક ભાજપ કાર્યકર સાથે દરેક ઘરનો સંપર્ક કર્યો અને લોકોને સરકારની કામગીરી વિશે માહિતગાર કર્યા. ભોરડુ જિલ્લા પંચાયતના પ્રભારીએ પણ કુલ 19 બુથ પર જનસંપર્ક કરી લોકોને સરકારની યોજનાઓથી માહિતગાર કર્યા હતા.