(GNS),17
ગાંડીતુર નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં આવેલા ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. નર્મદાના નાંદોદ તાલુકાના માંગરોળ ગામની વાઈબ્રન્ટ શાળામાં વિદ્યાર્થીઓ ફસાયા હોવાની માહિતી મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાણી ભરાવાને કારણે 60 થી 70 વિદ્યાર્થીઓ ફસાયા છે.રામાનંદ આશ્રમમાં 200 સંતો સહિત ભક્તો પાણી ભરાવાને કારણે ફસાયા છે. ગોધરા વાઈબ્રન્ટ શાળામાં ફસાયા વિદ્યાર્થીઓ જોડાયા છે.
નર્મદા નદીના કાંઠા વિસ્તારના વસંતપરા ગામ પાસે પણ લોકો ફસાયેલા છે. એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જલારામ હોસ્પિટલ અને આનંદ આશ્રય ધામમાં અંદાજિત 32 લોકો ફસાયેલા છે.