નવરાત્રિ પર્વ દરમિયાન સવારે મંગળા આરતી સવારે 7.50 કલાકે જ્યારે સાંજની આરતી સાંજે 6:30 કલાકે કરવામાં આવશે. આ ઉપરાંત નવરાત્રિ પર ગરબાનું આયોજન કરીને ગાયકોને બોલાવીને લોકોને ભકિતથી તરબોળ કરવામાં આવશે.
અંબાજી: જગદંબાની આરાધના પર્વ નવરાત્રીનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે. ફરી આ વખતે યાત્રાધામ અંબાજીમાં નવરાત્રિની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. રાત્રે 9 કલાકે યાત્રાધામ ખાતે આરતી બાદ ચાચર ચોક ખાતે ગરબાનું આયોજન કરાયું છે. ખાસ કરીને આ વખતે પ્રથમવાર પરંપરાગત ગરબાનું આયોજન કરવામાં આવશે. ગરબાને લઈને મંદિર પ્રશાસન દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા છે.અંબાજીના ચાચર ચોકમાં માત્ર મહિલાઓ માટે અલગ ગરબાનું આયોજન કરવામાં આવશે. જ્યારે પુરુષોએ પિત્તળના ગેટની બહાર ગરબા રમવાના હોય છે.
આ વખતે મંદિર તંત્રએ પરંપરાગત ગરબાનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત ગરબાના નિયમો પણ કડક બનાવવામાં આવ્યા છે. નવરાત્રિ પર્વ દરમિયાન સવારે મંગળા આરતી સવારે 7.50 કલાકે જ્યારે સાંજની આરતી સાંજે 6:30 કલાકે કરવામાં આવશે. આ ઉપરાંત નવરાત્રિ પર ગરબાનું આયોજન કરીને ગાયકોને બોલાવીને લોકોને ભકિતથી તરબોળ કરવામાં આવશે. આ ઉપરાંત માતાજીના મંદિરને પણ ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. ખાસ કરીને રાત્રિના સમયે, અંબાજી મંદિર વિવિધ રંગીન રોશનીથી મંત્રમુગ્ધ કરી દે છે.
સમગ્ર રાજ્યમાં નવરાત્રીની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ખેલાડીઓનો ઉત્સાહ પણ જબરદસ્ત છે. રવિવારથી નવરાત્રી પર્વનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે પરંપરાગત રીતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. યુવક સેવા અને સાંસ્કૃતિક જિલ્લા તંત્રના સહયોગથી નવરાત્રીના પ્રથમ દિવસે એક દિવસીય નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવશે.
સમગ્ર રાજ્યમાં નવરાત્રીની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ખેલાડીઓનો ઉત્સાહ પણ જબરદસ્ત છે. રવિવારથી નવરાત્રી પર્વનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે પરંપરાગત રીતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. યુવક સેવા અને સાંસ્કૃતિક જિલ્લા તંત્રના સહયોગથી નવરાત્રીના પ્રથમ દિવસે એક દિવસીય નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવશે.
સવારે નિવૃત્તિ સમારોહ થશે
ચાચરચોક સ્થિત અંબાજી મંદિર ખાતે નવરાત્રીના આયોજન માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ભાદરવી પૂર્ણિમાના મેળાના સુંદર આયોજન બાદ હવે અંબાજી મંદિરને સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. નવરાત્રિ પર્વ નિમિત્તે મંદિરને સુંદર રીતે શણગારવા અને રોશનીથી ઝળહળતું કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.