યાત્રાધામ અંબાજીમાં પણ આજે પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારો અને તેમના વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે અધિક કલેક્ટર અને મંદિરના પ્રશાસક કૌશિક મોદીએ ઉમેદવારોને માતાજીનો પ્રસાદ મોહનથલ ખવડાવીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા દીધો હતો. જ્યાં વિદ્યાર્થીઓ પણ એક પછી એક સંસ્કૃત પાઠશાળાના સંતો દ્વારા કુમકુમ તિલક લગાવીને લાંબી કતારમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ્યા હતા.
સાથે જ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે અને કોઈ ગેરરીતિ ન થાય તે માટે શાળાના પરીક્ષા હોલને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે અને તેનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પરીક્ષા હોલના નિરીક્ષકોને ટિકિટો ખોલીને પરીક્ષા રૂમ પણ ફાળવવામાં આવ્યા હતા. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
સાથે જ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે અને કોઈ ગેરરીતિ ન થાય તે માટે શાળાના પરીક્ષા હોલને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે અને તેનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પરીક્ષા હોલના નિરીક્ષકોને ટિકિટો ખોલીને પરીક્ષા રૂમ પણ ફાળવવામાં આવ્યા હતા. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.