આગની જાણ થતા જ પંચમહાલ વન વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું છે, પોલીસ તંત્ર પણ એલર્ટ મોડમાં છે.
પંચમહાલ:
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની ટેકરી પર શનિવારે રાત્રે આગ લાગી હતી. આગ જંગલમાં ફેલાઈ જતાં સ્થાનિક લોકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. પંચમહાલના પવિત્ર યાત્રાધામ પાવાગઢના ડુંગર પર આગ લાગી હતી. પહાડી પરના વૃક્ષોમાં આગ લાગી હોવાની માહિતી છે.
સુરક્ષાને જોતા પોલીસ તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. આગની માહિતી મળતા પંચમહાલ વન વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું છે. આગને કારણે મંદિર કે આસપાસના વિસ્તારોમાં કોઈ નુકસાનના સમાચાર નથી.
આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગની માહિતી મળતા જ પંચમહાલ વન વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને સ્થાનિક પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.