સુરતમાં દિવસેને દિવસે આપઘાતના બનાવો વધી રહ્યા છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં 15 વર્ષની યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ઘરમાં એકલતાનો લાભ લઈ યુવતીએ આપઘાત કરી લીધો હતો. યુવતીના આપઘાતથી પરિવારમાં ફરી એકવાર શોકનો માહોલ છવાયો છે. બીજી તરફ કિશોરીના આપઘાત સંદર્ભે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાંડેસરા વિસ્તારમાં રહેતી પૂજા શેર બહાદુર ગૌર નામની 15 વર્ષની યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. પરિવારના સભ્યોને જાણ કર્યા વિના પૂજાએ ઘરે ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. આપઘાત બાદ યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પરિવારે ઘેરા દુ:ખની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આપઘાતનું કારણ અમને ખબર નથી. ખબર નહિ કેમ તે કોઈ ટેન્શન કે મુસીબતમાં ન હતા ત્યારે તેણે આટલું કડક પગલું ભર્યું. બીજી તરફ પોલીસ સમગ્ર આત્મહત્યાની તપાસ કરી રહી છે.