પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં દિન પ્રતિદિન તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. પાટણ નજીકના સુપ્રસિદ્ધ શ્રી ચુડેલ માતા ધામ સંચાલિત શિવધામ મંદિરના પરિસરમાં ભગવાન શિવની 70 ફૂટ ઉંચી પ્રતિમાના ભોંયરાના નીચેના ભાગમાં મંગળવારે બપોરે શોર્ટ સર્કિટ થતાં ભક્તોમાં દોડધામ મચી ગઇ હતી. શિવધામમાં દર્શન કર્યા.
આગની ઘટનાની જાણ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓને થતાં તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી પાટણ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને કોઈ જાનહાનિ વિના આગને કાબુમાં લીધી હતી.