પાટણ શહેરના જગદીશ મંદિર સંકુલમાં ટ્રસ્ટી મંડળ દ્વારા ધાર્મિક ઉત્સવોની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી છે. ત્યારબાદ શનિવારના પવિત્ર દિવસે એકાદશી વ્રતની સામુહિક રીતે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઉજવણી કરવામાં આવી હતી.પાટણના જગદીશ મંદિર સંકુલ ખાતે એકાદશી વ્રતની સામૂહિક ઉજવણીના શુભ અવસરે ભગવાન જગન્નાથજીની એકાદશી વ્રત પર્વને અનુલક્ષીને ધાર્મિક રંગોળીઓ તૈયાર કરવામાં આવી હતી. સવારે પૂજા અને મહાઆરતી બાદ 31 યજમાન પરિવારો દ્વારા એકાદશી વ્રત પૂજન સાથે યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે જગન્નાથ મંદિરના પૂજારી દિપક મહારાજ, ચિન્ટુ મહારાજ, કનુભાઈ શુકલ સહિત પાટણના બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર કર્યા હતા. પાટણ શહેરના જગદીશ મંદિર સંકુલમાં શનિવારના પવિત્ર દિવસે યોજાયેલા અગીયારસના સમૂહલગ્નોત્સવને ભવ્ય રીતે સફળ બનાવવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના બોર્ડ ઓફ ટ્રસ્ટી સહિત સેવકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.