પાટણના પંચમુખી હનુમાન દાદા મંદિર પરિસરમાં પૂજ્ય ગુરુ નર્મદાગીરી બાપુ પવનકારી અઘોરી મહારાજની નિશ્રામાં શનિવારથી ત્રણ દિવસ ચાલનાર શ્રી શિવ હોમાત્મક મહારુદ્ર પંચ કુંડી યજ્ઞનું આયોજન સ્વ.વનલીલા બેન શિવલાલ અમથાલાલ રાવલ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. આજે વિવિધ વાનગીઓના અન્નકૂટ સાથે પંચમુખી હનુમાન દાદા મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ કરાયો હતો. સોમવારના શુભ દિવસે આ મહારુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિ થશે. પંચમુખી હનુમાન મંદિર ખાતે આયોજિત આ ત્રિદિવસીય ભવ્ય મહારુદ્ર યજ્ઞના સાક્ષી બનવાનો અવસર મેળવીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી, ત્યારબાદ યજ્ઞના આયોજકો રાવલ પરિવાર દ્વારા તમામ ભક્તો અને પરિવારજનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.