ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાય આધારિત કુદરતી ખેતી પર વિશેષ ભાર મૂકી રહ્યા છે. તેમના દરેક ભાષણમાં તેઓ આ પ્રકારની ખેતી માટે ખેડૂતોને પણ આહ્વાન કરે છે. ત્યારે રાજ્ય સરકારે ગાય આધારિત ડેટા ફાર્મિંગ માટે ગાયોની જાળવણી માટે 900 રૂપિયાની સહાય પણ આપી હતી. અને ખેડૂતોને પ્રોત્સાહિત કરવા વિવિધ માર્ગદર્શન સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મીઠીવાડી ક્લસ્ટરના મહમદપુર ગામે આવેલ મહાદેવના મંદિરે આજે ગાય આધારિત કુદરતી ખેતી અંગેના જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ગાય આધારિત કુદરતી ખેતી માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયના છાણનો ઉપયોગ કરીને વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કેવી રીતે ઘટાડવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન ગૃપ લીડર રમેશજી ઠાકોર અને દિનેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.