હાલમાં પાટણ શહેરના રાજમહેલ રોડથી યુનિવર્સિટી તરફના રેલ્વે ફાટક પર રેલ્વે ઓવરબ્રીજ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. યુનિવર્સિટી રોડ પર કલેક્ટર કચેરી તરફ અને રાજમહેલ રોડ પર રેલ્વે સ્ટેશન તરફ બે રેમ્પ પ્લેટફોર્મ અને થાંભલા તૈયાર કરવામાં આવી રહ્યા છે. હવે રેલ્વે ફાટકથી કૃણાલ ઝેરોક્ષની દુકાન સુધીના રોડ પર થાંભલાઓનું બાંધકામ જીયુડીસી દ્વારા નિમાયેલી એજન્સી દ્વારા કરવામાં આવશે.
આ થાંભલાઓની સ્થાપનાની સુવિધા માટે ભીડ અને સતત ટ્રાફિકને આંશિક રીતે નિયંત્રિત કરવું પડશે. આ રોડ પર મોટા પાયે પાઇલીંગનું કામ કરવામાં આવશે. જીયુડીસીએ ઓવરબ્રિજનું સંચાલન કરતી એજન્સીને 21મી જૂનથી બે મહિના સુધી દરરોજ રાત્રે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી રેલવે ફાટક બંધ રાખવાનો પત્ર આપ્યો છે, જેથી દિવસ દરમિયાન ટ્રાફિકને અડચણ ન પડે.