આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાના શિવ મંદિરોમાં શિવભક્તોએ પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.શહેરના વિવિધ શિવ મંદિરોમાં રોશની કરવામાં આવી હતી. જેના દર્શનનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.પાટણ વૈદિક નદી મા સરસ્વતીના કિનારે આવેલા આનંદેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સાંજે ભવ્ય મહા આરતી કરવામાં આવી હતી.
પાટણ બાગેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભગવાન કેદારનાથની પૂજા કરવામાં આવી હતી, ત્યારબાદ મહા આરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શિવભક્તોએ આરતી અને દર્શનનો લાભ લીધો હતો.