પાટણ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ચણામાં 50 મીમી, પાટણમાં 23 મીમી, હારીજમાં 15 મીમી, સિદ્ધપુરમાં 12 મીમી, સરસ્વતીમાં 9 મીમી, સાંતલપુરમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે સમી, રાધનપુર અને શંખેશ્વરમાં વરસાદ પડ્યો નથી. પાટણ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે UGVCLના 82 થાંભલા ધરાશાયી થયા હતા, આ સાથે 2 લોકોના મોત અને 7 પશુઓના મોત થયાના સમાચાર છે. આ સિવાય ડિઝાસ્ટર વિભાગે કહ્યું કે મકાનોને નુકસાન થયું છે.
ચાણસ્મા તાલુકાના જીલીયા વાસણા ગામે આશરે 55 વર્ષીય વણકર ગોવિંદભાઈ ખાનાભાઈ પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ઈલેક્ટ્રીક પોલ તેમના પર પડતાં તેમનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું. ઝીલીયા વાસણા ગામે વીજળી પડવાની ઘટના બનતા EMT પૂજાબેન ગોસ્વામી, 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ગ્રામજનોએ જણાવ્યું કે ઘટનાના એક કલાકથી વધુ સમય વીતી જવા છતાં ચસ્મા પોલીસ અને મામલતદાર કચેરીનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઘટનાસ્થળે પહોંચી શક્યું નથી.
જ્યારે હારીજ તાલુકાના ગોવાણા ગામે ગાજવીજ અને કરા સાથે મુશળધાર કમોસમી વરસાદ થયો હતો. સાંજના સમયે ગામના દેસાઈ મોતીભાઈ મગનભાઈ પોતાની 5 થી 6 ભેંસો ચરાવી ઘરે આવી રહ્યા હતા ત્યારે બુધીપાદર તળાવ પાસે પાંચ ભેંસ પૈકી એક ભેંસ આગળ જઈ રહી હતી.
જ્યારે હારીજ તાલુકાના ગોવાણા ગામે ગાજવીજ અને કરા સાથે મુશળધાર કમોસમી વરસાદ થયો હતો. સાંજના સમયે ગામના દેસાઈ મોતીભાઈ મગનભાઈ પોતાની 5 થી 6 ભેંસો ચરાવી ઘરે આવી રહ્યા હતા ત્યારે બુધીપાદર તળાવ પાસે પાંચ ભેંસ પૈકી એક ભેંસ આગળ જઈ રહી હતી.