75મા આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત મારી માટી, મારો દેશ અભિયાનને કારણે આ વર્ષે 15મી ઓગસ્ટે ધ્વજવંદનનો કાર્યક્રમ બધા માટે ખાસ રહેશે. હાલ સમગ્ર રાજ્યમાં ધ્વજારોહણની તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે 15 ઓગસ્ટે પાટણના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ વર્ષે 15 ઓગસ્ટના રોજ આદર્શ વિદ્યાલય, રાધનપુર ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ વર્ષે પાટણ જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન રાધનપુરમાં કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં આજે રાધનપુર પ્રાંત કચેરી ખાતે પર્વની તૈયારીઓના ભાગરૂપે જિલ્લાના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની ઉજવણીની તૈયારીના ભાગરૂપે જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લા કલેક્ટર અને તમામ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી. આ પછી જિલ્લા કક્ષાએ ધ્વજવંદન કાર્યક્રમ અંગે જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે. 15મી ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના મુખ્ય મહેમાન પદે જિલ્લાનું વહીવટી તંત્ર કાર્યક્રમને ભવ્ય બનાવવાના સંકલ્પ લે છે. આજે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી અને તમામ વ્યવસ્થા અને પ્રોટોકોલ જાળવવા વિચારણા કરી હતી. 15 ઓગસ્ટના રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોથી લઈને પોલીસ પરેડ સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ત્યારે પાટણ જિલ્લાના નાગરિકો સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આયોજિત બેઠકમાં જિલ્લા નિવાસી કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, પ્રાંત અધિકારી અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.15 ઓગસ્ટની તૈયારી.