પાટણ-બનાસકાંઠા જિલ્લાને જોડતા હાઇવે પર આવેલા ધરેવાડા ગામ પાસે સતત અકસ્માતો થઇ રહ્યા છે.ધારેવાડા પાસે સતત અકસ્માતો થઇ રહ્યા છે અને લોકો જીવ ગુમાવી રહ્યા છે. અવારનવાર થતા અકસ્માતોને જોતા હવે સ્થાનિક લોકોએ અવાજ ઉઠાવીને અકસ્માતો રોકવા માટે આવેદનપત્ર આપ્યું છે.
રોડનું લેવલીંગ યોગ્ય ન હોવાના કારણે દરરોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં આ વિસ્તારમાં અકસ્માતમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના કારણે અહી બેરીકેટ મુકી અકસ્માતો ઘટાડવા સ્થાનિક લોકોએ માંગ કરી છે. રોડનું લેવલીંગ પણ ઠીક કરવા માંગ ઉઠી છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રોડ એન્જિનિયરિંગની ખામીઓને કારણે અકસ્માતો થઈ રહ્યા છે. જો રોડ નહીં સુધારવામાં આવે તો સ્થાનિક લોકોએ આંદોલન કરવાની તૈયારી કરી છે.