યુરિયા અને ડીએપીના સંયુક્ત ઉપક્રમે શુક્રવારે પાટણ એપીએમસી હોલ ખાતે વિક્રેતાઓ માટે જાગૃતિ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત વિક્રેતાઓને તજજ્ઞો દ્વારા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. પાટણ એપીએમસી હોલ ખાતે આયોજિત એક દિવસીય તાલીમ શિબિરમાં ઉપસ્થિત તજજ્ઞોએ ભાવિ પેઢીને યુરિયા અને ડીએપીથી થતા મોટા શારીરિક રોગો અને નુકસાનથી બચાવવા વિક્રેતાઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પૂર્વ ઝોનના મહામંત્રી અને એપીએમસીના ડાયરેક્ટર કે.સી. પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથજી ઠાકોર અને ગુજકોમસોલ. સહિતના મહાનુભાવો