પાલનપુરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલ નવા બસ પોર્ટનું પાર્કિંગ ઘણા સમયથી કચરાના ઢગલા બની ગયું છે, જ્યાં અહીં વાહનો પાર્ક કરવામાં આવી રહ્યા છે. ગંદકીના ઢગલા અવારનવાર ત્યાં પથરાયેલા જોવા મળે છે. આ પ્રદુષણ માટે જવાબદારો સામે પગલાં લેવા જાગૃત નાગરિક દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે, કારણ કે લોકોમાં રોગચાળો ફેલાવાની દહેશત છે. પાલનપુરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નવું બસ સ્ટેન્ડ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. લોકો અહીં ખાવા-પીવા અને મોજ-મસ્તી કરવા આવે છે. જોકે, અહીં વેપારીઓ તેમજ મુસાફરોના વાહનો પાર્ક કરવા માટે વિશાળ ભૂગર્ભ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. પાર્કિંગની સફાઈ બાબતે બેદરકારીના કારણે અહી ઘણા સમયથી ગંદકીના ઢગલા પડ્યા છે. વેપારીઓ કચરાનો નિકાલ કરવાને બદલે પાર્કિંગમાં ડસ્ટબીન નાંખી રહ્યા છે, જેના કારણે સર્વત્ર દુર્ગંધ ફેલાઈ રહી છે. આ બસ પોર્ટના પાર્કિંગની ગંદકી માટે જવાબદાર સંચાલકો સામે પગલાં લેવા સેવાતા શહેરના જાગૃત નાગરિક રાહુલકુમાર ભરતભાઈ લીંબાચીયાએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિત આવેદનપત્ર આપી રોગચાળો ફેલાવાની ભીતિ વ્યક્ત કરી છે.