નચિકેતા ફાઉન્ડેશન, પાટણ અને એલ.વી. શેઠ હાઈસ્કૂલ, મોટા સમોઆના સંયુક્ત ઉપક્રમે અગ્નિવીર અને SSC-GD ની તૈયારી કરતા યુવા ભાઈઓ અને બહેનો માટે ભરતી માર્ગદર્શન સેમિનાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવા ભાઈ-બહેનોને સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા અગ્નિવીર અને SSC-GDની તૈયારી કેવી રીતે કરવી તેમજ ફોર્મ ભરવાથી લઈને લેખિત પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત શારીરિક અને લેખિત પરીક્ષા સુધીની તમામ પ્રકારની તાલીમ આ સંસ્થા દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે. NSD PATAN નામની એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે જેથી વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ઘરે બેઠા ઓનલાઈન ક્લાસ કરી શકે.
આ કાર્યક્રમમાં 100 નચિકેતા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પ્રજ્ઞેશભાઈ પટેલ, મુકેશભાઈ ઠાકોર, શાળાના ટ્રસ્ટી દવે સાહેબ, શાળાના આચાર્ય નટુભાઈ જોષી, શાળાનો સ્ટાફ, પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ, ધોરણ 10 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. .