22 જાન્યુઆરીએ રામલલા અયોધ્યામાં બિરાજવા જઈ રહ્યા છે. ત્યારે પાલનપુરની એક સંસ્થા દ્વારા 16 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી દરરોજ 1400 દીવાઓની સામૂહિક મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પાલનપુરમાં નિઃસ્વાર્થ સેવા સંસ્થા દ્વારા 16 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ 1400 દીવાઓની મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને વિવિધ પ્રકારના દીવાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પાલનપુરના નવા બસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં પાલનપુરવાસીઓ ઉમટી પડ્યા છે અને કાર્યક્રમમાં ભાગ લઇ શ્રી રામના નારા લગાવી રહ્યા છે. પાલનપુર રાત્રે પણ શ્રી રામના નાદથી ગુંજતું રહે છે.