બનાસકાંઠાના પાલનપુરમાં છેલ્લા ત્રણ વર્ષમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાઓ તૂટી ગયા છે. આ રોડ પર કામ કરતી પાંચ એજન્સીઓને પાલિકાએ ત્રીજી વખત નોટિસ ફટકારી છે. પાલનપુરના વિવિધ વિસ્તારોમાં પાંચ એજન્સીઓ દ્વારા 17 રસ્તા બનાવવામાં આવ્યા હતા. જેમાંથી મોટા ભાગના ધોવાઈ જાય છે.
આ અગાઉ પણ પાલિકાએ પાંચ એજન્સીઓને બે વખત નોટિસ આપીને સ્વખર્ચે રોડનું સમારકામ કરવા જણાવ્યું હતું. પરંતુ એજન્સીઓએ નોટિસની અવગણના કરી હતી. જો કે, હવે આકરો નિર્ણય લઇ પાલિકાની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે અને એજન્સીઓ રોડનું સમારકામ નહીં કરાવે તો ચીફ ઓફિસરે જમા કરેલી રકમ જપ્ત કરીને રિપેર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આ અગાઉ પણ પાલિકાએ પાંચ એજન્સીઓને બે વખત નોટિસ આપીને સ્વખર્ચે રોડનું સમારકામ કરવા જણાવ્યું હતું. પરંતુ એજન્સીઓએ નોટિસની અવગણના કરી હતી. જો કે, હવે આકરો નિર્ણય લઇ પાલિકાની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે અને એજન્સીઓ રોડનું સમારકામ નહીં કરાવે તો ચીફ ઓફિસરે જમા કરેલી રકમ જપ્ત કરીને રિપેર કરવાની ચીમકી ઉચ્ચારી છે.