છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. ત્યારે આજે બનાસકાંઠામાંથી અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બનાસકાંઠાના ધનિયાણા ચાર રસ્તા પાસે બે બાઇક વચ્ચે સામસામે અથડાતા બે યુવાનોના કરૂણ મોત નિપજ્યા છે. ઘટના બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અને તપાસ ચાલુ છે. બનાસકાંઠાના પાલનપુર-અંબાજી હાઈવે પર આવેલા ધનાણા ચાર રસ્તા પાસે ગઈકાલે રાત્રે બે બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જે બાદ પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. હાલ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.