(રખેવાલ ન્યુઝ) પાલનપુર, પાલનપુર વિસ્તારમાંથી પસાર થતી રેલ્વેમાં મુસાફરોના મોબાઈલ ફોન અને માલસામાનની ચોરીના વધતા જતા બનાવો વચ્ચે રેલ્વે મુસાફરોના વધુ બે મોબાઈલ ફોનની ચોરીનો મામલો સામે આવ્યો છે. જેમાં ટ્રેનના દરવાજે વાત કરી રહેલા મુસાફર પર પથ્થરમારો દરમિયાન મોબાઈલ ફોન પડી જતાં અજાણ્યો મોબાઈલ ફોન લઈને ભાગી ગયો હતો. જ્યારે અન્ય એક ઘટનામાં એક મુસાફર ટ્રેનમાં ઊંઘની મજા માણી રહ્યો હતો. ત્યારે કોઇ અજાણ્યો શખ્સ મુસાફરનો મોબાઇલ ફોન ચોરીને ફરાર થઇ ગયો હતો.
મહેસાણાના સોમનાથ રોડ સ્થિત સોમનાથ બંગલોમાં રહેતો જૈમિનકુમાર ભુપેન્દ્રભાઈ શાહ નામનો યુવક તેના મિત્ર સાથે અરવલી એક્સપ્રેસ ટ્રેનમાં મહેસાણાથી આબુ રોડ જવા નીકળ્યો હતો. જ્યારે ટ્રેન પાલનપુર રેલવે સ્ટેશન નજીક આવી રહી હતી ત્યારે આ યુવક ટ્રેનના દરવાજા પાસે મોબાઈલ ફોન પર વાત કરી રહ્યો હતો. ત્યારે અજાણ્યા યુવકે આ મુસાફર પર પથ્થરમારો કરતા મોબાઈલની આડમાં રાખેલ રૂ.10,500ની કિંમતનો મોબાઈલ નીચે પડી ગયો હતો.પંદર હજારની કિંમતનો મોબાઈલ લઈને અજાણ્યો યુવક ભાગી ગયો હતો.
જ્યારે બીજા બનાવમાં રાજસ્થાનના જાલોર જિલ્લાના પરીવાલા ગામનો યુવાન જવાઈ ડેમ રેલવે સ્ટેશનથી બાંદ્રા ટર્મિનલ ટ્રેન દ્વારા મુંબઈના બોરીવલી જઈ રહ્યો હતો. દરમિયાન આ મુસાફર પાલનપુર નજીક રાત્રે સૂતો હતો. ત્યારે કોઇ અજાણ્યો તસ્કર મુસાફર પાસેથી રૂ.17,499ની કિંમતનો મોબાઇલ ચોરી કરીને નાસી ગયો હતો.
જ્યારે બીજા બનાવમાં રાજસ્થાનના જાલોર જિલ્લાના પરીવાલા ગામનો યુવાન જવાઈ ડેમ રેલવે સ્ટેશનથી બાંદ્રા ટર્મિનલ ટ્રેન દ્વારા મુંબઈના બોરીવલી જઈ રહ્યો હતો. દરમિયાન આ મુસાફર પાલનપુર નજીક રાત્રે સૂતો હતો. ત્યારે કોઇ અજાણ્યો તસ્કર મુસાફર પાસેથી રૂ.17,499ની કિંમતનો મોબાઇલ ચોરી કરીને નાસી ગયો હતો.