કૃષ્ણ જન્માષ્ટમી એ ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ છે. જે દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ આ દિવસે મધ્યરાત્રિએ થયો હતો. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન કૃષ્ણનો જન્મ આ દિવસે રોહિણી નક્ષત્રમાં થયો હતો. જન્માષ્ટમી હિન્દુઓના વાર્ષિક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ઘરો અને મંદિરોમાં ભવ્ય ઉત્સવો ઉજવે છે, લોકો ઘરોમાં કૃષ્ણની ગોકુળને શણગારે છે અને વ્રત રાખે છે. આ તહેવાર દ્વારકા શહેરમાં ભવ્ય રીતે ઉજવવામાં આવે છે જે ભગવાન શ્રી કૃષ્ણનું રાજ્ય છે અને મથુરા શહેરમાં છે જે તેમનું જન્મસ્થળ છે.
સોલગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ, પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલની વિવિધ સંસ્થાઓ દ્વારા આજે નંદ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના કિન્ડરગાર્ટનથી કોલેજ કક્ષા સુધીના તમામ વિભાગોના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સોલાગામ લેઉવા પાટીદાર સમાજના આદરણીય વડીલો, સામાજિક આગેવાનો, સમાજના દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રમુખ રમેશભાઈ પટેલ, મંત્રી જયંતિભાઈ ઘોડા, ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામી તથા અન્ય ટ્રસ્ટીઓનું શાલ ઓઢાડીને ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. નંદ મહોત્સવ કાર્યક્રમના અંતે બાલ કૃષ્ણ અને બાલ ગોપીઓ દ્વારા વિશેષ મટકી ફોડનો કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં શાળાના તમામ બાળકો અને શિક્ષકો અને તમામ વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.