ખડાણા ગામની બાળકી ઘર પાસેની કેનાલમાં ન્હાવા પડી હતી.
પેટલાદ: પેટલાદ તાલુકાના ખડાણા ગામે સરદારપુરા પ્રાથમિક શાળા પાસે રહેતા મજૂર પરિવારનો 9 વર્ષનો પુત્ર શુક્રવારે કેનાલમાં પડી ગયો હતો. પરંતુ કેનાલમાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખડાણામાં સરદારપુરા પ્રાથમિક શાળા પાસે મોટી કેનાલ પાસે રહેતા રણજીત કરશનભાઈ વાઘેલા મજૂરી કામ કરે છે અને તેની બહેન તેના ત્રણ બાળકો સાથે નજીકમાં રહે છે. દરમિયાન રણજીતભાઈનો ભત્રીજો પ્રકાશ પ્રભાતભાઈ પરમાર (ઉંમર 9) 28 માર્ચની સાંજે ઘર પાસે આવેલી મોટી કેનાલમાં ન્હાવા પડ્યો હતો. જો કે, આ વાતથી અજાણ તેના પરિવારજનોએ મોડી રાત સુધી રાહ જોઈ અને અંધારામાં શોધખોળ શરૂ કરી. આજુબાજુમાં અને બેટરી લાઇટથી કેનાલના પાણીમાં શોધખોળ કર્યા બાદ ઘરથી 500 મીટર દૂર કેનાલમાં ડૂબી ગયેલી લાશ મળી આવી હતી. આ દ્રશ્ય જોઈ પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને પોલીસને ઘટનાની જાણ કરતાં પેટલાદ ગ્રામ્ય પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બાળકના મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે અકસ્માત મોતનો ગુનો નોંધાતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર પી.એમ. સિસોદિયાને સોંપવામાં આવી છે.