(જીએનએસ) 13
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદની આગાહી છે. તંત્ર દ્વારા વાવાઝોડા અને વરસાદને લઈને લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. પવનના કારણે પોરબંદરમાં વરસાદના કારણે ખારવાવાડ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું હતું.
આ મકાન ધરાશાયી થતાં એક 50 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે ત્રણ લોકોને ફાયર બ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. ભારે પવનને કારણે શહેરમાં 24 કલાકમાં 20 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા. માત્ર બે કલાકમાં પાંચ વૃક્ષો ધરાશાયી થયા હતા.પોરબંદરની સાથે રાણાવાવમાં પણ વૃક્ષો ધરાશાયી થયા હતા. જેના કારણે થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.