(GNS),તા.18
સુરત,
પોરબંદર વિધાનસભા ભાજપ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને લઈને સુરતમાં સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા.મંડવિયાએ તમામ મતદારોને ફરજિયાત મતદાન કરવા અપીલ કરી હતી. સુરતમાં પોરબંદર વિધાનસભા ભાજપ દ્વારા ‘સ્નેહમિલન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે પોરબંદર વિધાનસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા કે જેમના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે આ ચૂંટણી ઈતિહાસ બદલવાની છે.
કારણ કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી બાદ આ પ્રથમ ચૂંટણી છે, આગામી 25 વર્ષમાં વિકસિત ભારતનો રોડ મેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને વડાપ્રધાનના સંકલ્પ મુજબ આગામી પાંચ વર્ષ મહત્વપૂર્ણ સાબિત થશે. . આ સાથે વડાપ્રધાને આ ચૂંટણીને લઈને પાંચ સંકલ્પો લીધા છે, જેમાં વડાપ્રધાને વિકસિત ભારતની સાથે ગુલામીના પ્રતિકને નષ્ટ કરવાની પ્રતિજ્ઞા પણ લીધી છે, જેથી અંગ્રેજોએ બનાવેલા 1200 કાયદાઓને ભારતીય કાયદામાં બદલવામાં આવ્યા છે. અને તેની સાથે 2047માં વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે.