ગાંધીનગર,ભોપાલ,જયપુર
લોકસભા પહેલા સત્તાની સેમિફાઈનલમાં ત્રણ રાજ્યોમાં ભાજપે કોંગ્રેસને ભેરવી નાખ્યું..
રાજસ્થાનમાં ભાજપે જીતનો જાદુઈ આંકડો પાર કરવામાં સફળતા મેળવી..
(નીચે જણાવેલા આંકડા આ સમાચાર જયારે લખાઈ રહ્યા છે ત્યાર સુધીનાં છે)
રાજસ્થાન, એમપી, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ આ પાંચ રાજ્યોની ચૂંટણીને લોકસભા પહેલાની સેમિફાઈનલ તરીકે જોવાઈ રહી છે. જેમા ત્રણ હિંદી રાજ્યોમાં ભાજપ જીત તરફ અને બહુમત મેળવતી જોવા મળી રહી છે. તો રાજસ્થાનમાં ભાજપ પાંચ વર્ષ બાદ ફરી સત્તામાં વાપસી કરતી જોવા મળી રહી છે. છત્તીસગઢમાં ગત વિધાનસભા ચૂંટણીની સરખામણીએ ભાજપનું સારુ પ્રદર્શન રહ્યુ છે. અત્યાર સુધીના રુઝાન જોઈએ તે એમપી છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપ સરકાર બનાવતી જોવા મળી રહી છે. આ ત્રણ રાજ્યોમાં ભાજપના પ્રદર્શનને જોતા ફરી મોદી લહેર અને મોદી મેજિક જોવા મળી રહ્યુ છે. ત્રણેય રાજ્યોમાં ભાજપે મહિનાઓ પહેલા ટિકિટની વહેંચણી તો કરી દીધી પરંતુ સીએમના ચહેરા તરીકે કોઈને પ્રોજેક્ટ કર્યા ન હતા. જ્યારે 2018માં મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ, રાજસ્થાનમાં વસુંધરા રાજે સિંધિયા અને છત્તીસગઢમાં રમણસિંહને સીએમ ઉમેદવાર ઘોષિત કર્યા હતા. જેનુ પરિણામ એ જોવા મળ્યુ હતુ કે એ રાજ્યોમાં ભાજપની હાર થઈ હતી. પરંતુ આ વખતે ભાજપ માત્ર પીએમ મોદીના ચહેરા પર ચૂંટણી લડી અને તેની મોટી અસર પણ જોવા મળી રહી છે. હિંદી બેલ્ટના ત્રણેય રાજ્યોમાં ભાજપની જીત ઘણી લોકસભા માટે ઘણી મોટી ઉપલબ્ધી હશે. મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર જઈ રહી છે તેવુ એક્ઝિટ પોલના આંકડા જણાવી રહ્યા હતા અને સતત એવી ભવિષ્યવાણી કરવામાં આવી રહી હતી કે એમપીમાં મામાની સરકાર જાય છે. ત્યારે છત્તીસગઢમાં ભૂપેશ બઘેલની જીત નિશ્ચિત મનાઈ રહી હતી. આ સ્થિતિમાં જીત હાંસિલ કરવી એ ભાજપ માટે મોરલ બુસ્ટઅપ કરવાનું કામ કરશે. ભાજપે તમાં રાજ્યોમાં મોદીના ચહેરાને જ આગળ કર્યો હતો અને દરેક રેલીમાં પીએમ મોદી તેમના મેનિફેસ્ટોને મોદીની ગેરંટી ગણાવતા હતા. આથી તે પણ જનતામાં અપીલ કરવામાં ઘણી સફળ રહી છે. આથી એવુ માની શકાય કે મોદી મેજિક યથાવત છે. એમપીકે મનમે મોદીજી અને મોદીજીકે મને એમપી વાળી અપીલ ઘણી અસર કરી ગઈ છે. લોકસભાને ધ્યાને લેતા માહોલ બનશે. એમપીમાં 18 વર્ષની શિવરાજ સરકારની એન્ટી ઈન્કબન્સીના દાવાને જનતાએ ફગાવી દીધો છે અને ફરી એકવાર પ્રદેશમાં ભાજપને સત્તાનુ સુકાન સોંપ્યુ છે. એમપીમાં 2020માં સિંધિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપ સાથે હાથ મિલાવી લેતા કમલનાથની સરકાર પડી ગઈ હતી ત્યારથી સિંધિયા માટે એવુ કહેવાઈ રહ્યુ હતુ કે જનતા બાગીઓને જવાબ આપશે. જો કે જનતાએ સિંધિયાના પ્રભાવવાળી ગ્વાલિયર સીટ હોય કે ગુના હોય ભાજપને જ મત આપ્યા છે. આથી કહી શાકય કે મોદી નિર્વિવાદ રીતે સુપ્રીમ લીડરના રોલમા દેખાઈ રહ્યા છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં મતોની ગણતરી શરૂ છે. 90 બેઠકોવાળી વિધાનસભામાં ભાજપ 50 થી વધુ બેઠકો જીતતી નજર આવી રહી છે. તો કોંગ્રેસને મોટો ફટકો પડતો દેખાઈ રહ્યો છે. અન્યોના ખાતામાં પણ પાંચ બેઠકો જતી દેખાઈ રહી છે. છત્તીસગઢમાં ભાજપ 54 સીટ પર આગળ ચાલી રહી છે. પૂર્વ સીએમ ડૉ રમણસિંહે જીતનો શ્રેય પીએમ મોદીને આપ્યો છે. તેમણે કહ્યુ કે જનતાને પીએમ મોદીની ગેરંટી પર સંપૂર્ણ ભરોસો છે. જો કે વર્તમામ સીએમ ભૂપેશ બઘેલ તેમની પાટન સીટ બચાવવામાં સફળ રહ્યા છે.