(જીએનએસ) તા. 25
રાજકોટ,
ઉદ્ઘાટન બાદ વડાપ્રધાને AIIMS કેમ્પસ તેમજ IPD વિભાગનું નિરીક્ષણ કર્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સહિતના મહાનુભાવો જોડાયા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટના પરા પીપળીયા પાસે રૂ. 1,195 કરોડના ખર્ચે બનેલ ગુજરાતની પ્રથમ AIIMSનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બાદમાં તેમણે AIIMS ખાતે IPDનું નિરીક્ષણ કર્યું અને અહીં ઉપલબ્ધ વિવિધ તબીબી સારવાર સુવિધાઓ અને વ્યવસ્થાઓ વિશે વિગતવાર માહિતી મેળવી.