(GNS),તા.07
ગાંધીનગર
આજે ગાંધીનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા ગાંધીનગર મહાનગર પાલિકાના પંડિત દીનદયાળ ભવન ખાતે મેયર હિતેશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં ગાંધીનગરમાં વિકાસના કામો, કર્મચારીઓની ભરતી અને બઢતીના નિયમોની મંજુરી સહિતના વિવિધ કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મેયરે જણાવ્યું હતું કે આ કામોથી મહાનગરપાલિકાની કામગીરીમાં ઝડપ આવશે અને નાગરિકોની સુવિધા અને સુખાકારીમાં વધારો થશે.