સરકારની સૌની યોજના હેઠળ કાંકરગે તાલુકાના કસારાથી વડગામ તાલુકા અને દાંતીવાડા સુધી ગામગામ તળાવ ભરવા માટે પાઇપલાઇનની કામગીરી ચાલી રહી છે. ત્યારે પાલનપુર પાટણ રોડ પર પાઈપલાઈન તૂટવાને કારણે રોડ તૂટી ગયો હતો. રોડ પર અચાનક બેસી જતા અકસ્માત પણ થયો હતો. પાઈપલાઈન ચાલુ થયાને માંડ એક મહિનો થયો છે. પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને નબળા કામને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ છે.
ભ્રષ્ટ વહીવટી તંત્રના કારણે સ્થાનિક લોકોને ભોગવવાનો વારો આવ્યો છે. આ લાઇન હજુ શરૂ પણ થઇ નથી અને પાઇપ તૂટી ગઇ છે. જો પાઈપલાઈન ચાલુ કરાઈ હોત તો નજીકના ખેડૂતોને ભારે નુકસાન થાત. સ્થાનિક લોકોની માંગ છે કે અહીંના કોન્ટ્રાક્ટરોના ભ્રષ્ટાચારી શાસન સામે પગલાં લેવામાં આવે.