(રખેવાલ ન્યુઝ) પાલનપુર, સરહદી બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભજળ વધારવા અને સિંચાઈના પાણીની સમસ્યાના નિરાકરણ માટે સરકારે જિલ્લામાં નાના-મોટા 619 તળાવો ઉંડા કરવાની કામગીરી હાથ ધરી છે. આ તળાવોની ઊંડાઈમાં 3.70 mc, MT મિલિયન ઘનફૂટ પાણીનો વધારો થશે. જેના કારણે ભૂગર્ભ જળ સ્તરમાં વધારો થવાની સાથે સિંચાઈના પાણીની અછતને પણ ટાળી શકાય છે.
દર વર્ષે અપૂરતા વરસાદને કારણે પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા બનાસકાંઠા જિલ્લામાં સરકારે ભૂગર્ભ જળ સ્તરને ઉંચુ લાવવા વિવિધ યોજનાઓ હેઠળ જિલ્લામાં 619 તળાવો ઉંડા કરવાની કામગીરી શરૂ કરી છે. મહદઅંશે સિંચાઈના પાણીની સમસ્યા. એટલે કે આ સરોવર ઉંડા થયા પહેલા તળાવોમાં જે પાણીનો સંગ્રહ થતો હતો. 3.70 MC, MT મિલિયન ઘનફૂટ પાણીનો વધારો થશે.
આ સાથે નર્મદાની મુખ્ય કેનાલમાંથી સુજલામ સુફલામ યોજના હેઠળ કસારાથી દાંતીવાડા સુધીની પાઈપલાઈન દ્વારા પાલનપુર તાલુકાના 92 જેટલા તળાવોમાં પાણી ભરવામાં આવશે.
આ સાથે નર્મદાની મુખ્ય કેનાલમાંથી સુજલામ સુફલામ યોજના હેઠળ કસારાથી દાંતીવાડા સુધીની પાઈપલાઈન દ્વારા પાલનપુર તાલુકાના 92 જેટલા તળાવોમાં પાણી ભરવામાં આવશે.