(GNS),06
ગુજરાતના બનાસકાંઠામાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. બનાસકાંઠા પંથકમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને લોકો ઉંઘમાંથી જાગીને ઘરની બહાર દોડી આવ્યા હતા. નોંધનીય છે કે ગુજરાતના બે જિલ્લામાં સૌથી વધુ ભૂકંપ અવારનવાર આવે છે. આ બે જિલ્લાઓમાં કચ્છ અને બનાસકાંઠા જિલ્લાઓ સૌથી અગ્રણી છે. પાકિસ્તાન સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકોએ વહેલી સવારે 4.36 કલાકે ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.6 નોંધવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર રાજસ્થાનના જાલોર નજીક હોવાનું પણ જાણવા મળે છે. જો કે આ ભૂકંપના આંચકાના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર સામે આવ્યા નથી. રાહતની વાત એ છે કે આ ભયની તીવ્રતાના કારણે કોઈ મોટી ઘટના બની નથી. આજે વહેલી સવારે 4:36 વાગ્યે બનાસકાંઠાની ધરતી ધ્રૂજી ઉઠી હતી. વહેલી સવારે અનુભવાયેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 નોંધવામાં આવી હતી. જ્યારે ભૂકંપનું કેન્દ્ર રાજસ્થાનના જાલોર નજીક હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં કોઇપણ પ્રકારની જાનહાની કે આર્થિક નુકશાનીના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ વારંવાર આવતા ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.