બનાસકાંઠા જિલ્લામાં જમીન માપણીમાં ભૂલો બહાર આવતાં હજારો ખેડૂતોએ અનામત માટે અરજી કરી હતી. 80 હજાર જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. લગભગ 20 હજાર અરજીઓ હજુ પેન્ડિંગ છે. આજે ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ કલેક્ટર કચેરીથી ડીએલઆર કચેરી સુધી રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આવેદનમાં જણાવાયું છે કે, ગુજરાતમાં કરાયેલી જમીન માપણીમાં અનેક ક્ષતિઓને કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. બીજી તરફ બનાસકાંઠા ડીએલઆર કચેરીએ જણાવ્યું હતું કે બનાસકાંઠામાં અનામત માટે 1 લાખથી વધુ અરજીઓ આવી હતી. જેમાંથી 80 હજાર જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.