બનાસકાંઠા જિલ્લો ફરી એકવાર વાદળો હેઠળ છે. જિલ્લામાં સવારથી વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જેમાં થોડા દિવસ પહેલા પડેલા કમોસમી વરસાદથી જિલ્લાના ખેડૂતોને નુકશાન થયું છે. જેમાં હવામાન વિભાગે બે દિવસમાં કમોસમી વરસાદની શકયતા વ્યક્ત કરી છે ત્યારે આજે જિલ્લામાં મેઘમહેર થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું આકાશના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. થોડા દિવસો પહેલા વરસાદના કારણે ખેડૂતોના એરંડા જેવા પાકને ઘણું નુકસાન થયું હતું. જો કે આજે સવારથી હવામાનમાં અચાનક પલટો આવતા સમગ્ર પંથકમાં વાદળો ઘેરાયા છે જેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે પરંતુ જો ફરીથી કમોસમી વરસાદ પડે તો પાકમાં રોગચાળો ફાટી નીકળવાની શકયતા છે. હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરતા ખેડૂતો ચિંતિત છે.