ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો માટે ભાજપના ત્રણ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. ગુજરાત રાજ્યમાંથી રાજ્યસભાની ખાલી પડેલી ત્રણ બેઠકો ભરવા માટે દ્વિવાર્ષિક ચૂંટણી-2023માં આજે ભારતીય જનતા પાર્ટીના ત્રણ ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મદદનીશ ચૂંટણી અધિકારી અને ગુજરાત વિધાનસભા સચિવાલયના નાયબ સચિવની યાદી મુજબ કેસરીદેવસિંહ દિગ્વિજયસિંહ ઝાલા, બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ અને સુબ્રમણ્યમ જયશંકર કૃષ્ણસ્વામી બિનહરીફ જાહેર થયા છે.