અરવલ્લી: ‘સેફ રાઈડ, એસટી હમારી’ને લઈને કંઈ થાય તો તેની જવાબદારી પેસેન્જરની માથે આવી છે. સલામત સવારીની ચર્ચા વચ્ચે એસટીની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં રોડ પર દોડતી એસટી બસના ટાયર 100 મીટર સુધી નીચે પડી ગયા હતા. ત્યારે બસમાં બેઠેલા મુસાફરોનો જીવ પણ જોખમમાં મુકાયો હતો, જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.