ચક્રવાતી વાવાઝોડું ‘બિપરજોય’ ગુરુવારે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકતાં પાણી, જમીન અને હવામાં વાવાઝોડાનો કહેર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો, ઈલેક્ટ્રીક થાંભલા અને હોર્ડિંગ્સ ધરાશાયી થઈ ગયા હતા. દૂધ, ન્યૂઝ પેપર જેવી ડાઈંગની વસ્તુઓને ભારે અસર થઈ રહી છે. તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ ગઈકાલથી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક વૃક્ષો પડી ગયા છે. મધ્યરાત્રિએ કચ્છના બંદરે એક વિશાળ જહાજ પણ પલટી ગયું હતું. ચક્રવાત ‘બિપરજોય’એ કચ્છના લોકોને 25 વર્ષ જૂના કંડલા ચક્રવાતની યાદ અપાવી છે.