પટનાઃ બિહારમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. નીતિશ કુમારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રવિવારે રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.
સૂત્રોનું માનીએ તો આજે જ તેઓ ભાજપ સાથે ગઠબંધન કરીને નવી સરકાર બનાવશે અને 9મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
નીતીશે રાજીનામું આપ્યું તે પહેલાં, જેડીયુ વિધાનસભ્ય દળની સીએમ આવાસ પર એક બેઠક યોજાઈ હતી, જેમાં તમામ ધારાસભ્યોને એનડીએમાં પાછા ફરવાની માહિતી આપવામાં આવી હતી. આ સાથે 17 મહિના લાંબી મહાગઠબંધન સરકારનો અંત આવ્યો.
રાજીનામું આપ્યા બાદ નીતિશે પત્રકારોને સંબોધ્યા. તેમણે કહ્યું, ‘આજે અમે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે અને અમે રાજ્યપાલને વર્તમાન સરકારને ખતમ કરવાનો પ્રસ્તાવ પણ આપ્યો છે. દરેકના અભિપ્રાય, અમારા પક્ષના અભિપ્રાય, અભિપ્રાયો ચારે બાજુથી આવી રહ્યા હતા. અમે અમારા લોકોના અભિપ્રાય સાંભળ્યા છે અને સરકારને નાબૂદ કરી છે.
અમે અગાઉનું ગઠબંધન છોડીને નવું ગઠબંધન કર્યું હતું, અહીં આવ્યા પછી સ્થિતિ યોગ્ય જણાતી ન હતી, એટલે જ આજે રાજીનામું આપીને અમે અલગ થઈ ગયા. અમે ખૂબ મહેનત કરતા હતા અને અન્ય લોકો બધો જ શ્રેય લેતા હતા. હવે નવા જોડાણમાં જઈ રહ્યા છીએ. અગાઉ જે પક્ષો એક થયા હતા (JDU અને BJP), આજે નિર્ણય લેશે અને આગળ જાણ કરશે.