બેંગલુરુ: શું તમે કોઈપણ બેંકમાંથી હોમ લોન, કાર લોન અથવા અન્ય કોઈ પ્રકારની લોન લીધી છે? અથવા લોન લેવાનું વિચારી રહ્યા છો? તો આ સમાચાર તમારા માટે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે RBI દ્વારા આગામી દ્વિ-માસિક નીતિ સમીક્ષામાં સતત ત્રીજી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. નિષ્ણાતોએ આશા વ્યક્ત કરી છે કે રેપો રેટ જૂના સ્તરે જ રહેશે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે યુએસ ફેડરલ રિઝર્વ અને યુરોપિયન સેન્ટ્રલ બેંક દ્વારા ચાવીરૂપ દરમાં વધારો કરવા છતાં, સ્થાનિક ફુગાવો આરબીઆઈની લક્ષ્ય શ્રેણીમાં રહ્યો છે.
રેપો રેટ 6.5%:
ગયા વર્ષે મે મહિનાથી આર.બી.આઈ વ્યાજદર વધારવાનું શરૂ કર્યું , જોકે, આ વર્ષે ફેબ્રુઆરીથી રેપો રેટ 6.5 ટકા પર ચાલુ છે. એપ્રિલ અને જૂનમાં છેલ્લી બે દ્વિ-માસિક નીતિ સમીક્ષાઓમાં તે યથાવત રહ્યું હતું. RBI ગવર્નરની અધ્યક્ષતામાં છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટી (MPC) 8-10 ઓગસ્ટના રોજ મળશે. ગવર્નર શક્તિકાંત દાસ 10 ઓગસ્ટે નીતિ વિષયક નિર્ણયની જાહેરાત કરશે.
બેંક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસે જણાવ્યું હતું કે આરબીઆઈ દરો યથાવત રાખશે. કારણ કે હાલમાં ફુગાવાનો દર 5 ટકાથી ઓછો છે. પરંતુ મોંઘવારી વધવાની સાથે આગામી મહિનાઓમાં થોડો વધારો થવાનું જોખમ પણ છે. કોટક મહિન્દ્રા બેંકના ચીફ ઈકોનોમિસ્ટ ઉપાસના ભારદ્વાજે જણાવ્યું હતું કે, “અમે અપેક્ષા રાખીએ છીએ કે આરબીઆઈ વર્તમાન વલણને ચાલુ રાખે કારણ કે રૂ. 2,000ની નોટ પર પ્રતિબંધની જાહેરાત પછી તરલતાની સ્થિતિ અનુકૂળ છે.
ઉપાસના ભારદ્વાજે કહ્યું કે તમામની નજર ઘરેલુ ફુગાવાના વલણ પર રહેશે. ICRAના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું કે શાકભાજીના ભાવમાં થયેલા વધારાને કારણે જુલાઈ 2023માં CPI અથવા છૂટક ફુગાવો 6 ટકાથી ઉપર વધવાની ધારણા છે. આવી સ્થિતિમાં રેપો રેટ પર યથાસ્થિતિ અંગે MPC તરફથી તીવ્ર પ્રતિક્રિયા મળવાની ચર્ચા છે.