(GNS),17
ભારે વરસાદને કારણે ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો છે. વડોદરા ડિવિઝનનો ચાંદોદ એકતાનગર વિભાગ અતિવૃષ્ટિને કારણે પ્રભાવિત થયો છે. ભારે વરસાદને કારણે વડોદરા ચાંદોદ-એકતાનગર ટ્રેનની મુસાફરીને અસર થઈ છે. પાણીનું સ્તર જોખમી સ્તરે પહોંચતા રેલ પરિવહન ખોરવાય છે. અમગઢથી પંચપીપલા રતલામ રૂટ પરની 7 ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે બે ટ્રેનોને ટૂંકાવી દેવામાં આવી છે.
પ્રતાપનગર અને એકતાનગર વચ્ચેના બ્રિજ નંબર 61 અને 76 પર પાણીનું સ્તર જોખમના સ્તરને વટાવી ગયું હોવાથી ટ્રેન વ્યવહારને અસર થઈ છે. તો કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે અને કેટલીક આંશિક રીતે રદ કરવામાં આવી છે. 8 ટ્રેનો રદ કરવામાં આવી હતી જ્યારે અન્ય આંશિક રીતે રદ કરવામાં આવી હતી અને ટૂંકી કરવામાં આવી હતી. આ સંદર્ભમાં નીચેની ટ્રેનો છે. બીજી તરફ બાજવા-વડોદરા યાર્ડ વચ્ચે વીજ પુરવઠામાં ટેકનિકલ ખામી સર્જાતા આજની કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. વડોદરા ડિવિઝનના બાજવા-વડોદરા યાર્ડ વચ્ચે વીજ પુરવઠામાં ટેકનિકલ વિક્ષેપને કારણે, 17.09.2023ની કેટલીક ટ્રેનો રદ રહેશે, કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ રહેશે.