ભિલોડાના વાસેરકંપા ખાતે રાત્રીના સમયે ચોરોએ બંધ મકાનને નિશાન બનાવી દરવાજાના તાળા તોડી ઘરમાં રાખેલ જરૂરી સામાનની તોડફોડ કરી, તિજોરી અને અલમિરાનું તાળું તોડી રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ.1.81 લાખની મત્તાની ચોરી કરી હતી. . શામળાજી પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. વાસરકંપા ખાતે રહેતા પ્રવિણભાઈ રતનસીભાઈ પટેલ અને તેમનો પરિવાર ઘર બંધ કરીને ભુજ ખાતે તેમના મોટા પુત્રના ઘરે રહેવા ગયા હતા.
ચોરોએ રાત્રીના સમયે બંધ મકાનને નિશાન બનાવી ઘરનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીનું કબાટ ખોલી 50 હજાર રોકડા તેમજ કબાટ અને તિજોરીમાં રાખેલ 50 હજાર રૂપિયાની સોનાની મત્તાની લૂંટ ચલાવી હતી. ચેઇન 75 હજાર, સોનાની બુટ્ટી 35 હજાર, ચાંદીના 5 સિક્કા 10 હજાર, ચાંદીના તાર રૂ. રૂ.2000 અને રૂ.9000ની ચાંદીની ચેઇન મળી કુલ રૂ.1,81,000ની ચોરી કરીને ચોર ભાગી છૂટ્યા હતા. ચોરીની જાણ પડોશીઓને થતાં તેઓ પણ દોડી આવ્યા હતા અને મકાન માલિકને જાણ કરી હતી. આ અંગે શામળાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.