પાલનપુર તાલુકાના મલાણા ગામમાં છેલ્લા દસ દિવસથી એસસી વિસ્તારોમાં પીવાનું પાણી મળતું નથી, પાણીની સમસ્યાના નિરાકરણ માટે ગ્રામ પંચાયતને અનેક રજૂઆતો કરવા છતાં આખરે એસસી લોકો પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. , પીવાના પાણી માટે ભીખ માંગે છે. તેમણે કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપી તેમની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ કરી હતી. અને માંગણીઓ નહી સંતોષાય તો આંદોલન કરવાની ચેતવણી આપી હતી. પાલનપુર તાલુકાના મલાણા ગામમાં અનુસૂચિત જાતિ વિસ્તારને પીવાનું પાણી પુરૂ પાડતી પાણીની ટાંકીનું જોડાણ છેલ્લા દસ દિવસથી તૂટી જતાં અનુસૂચિત જાતિ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થઇ છે. જો કે દલિત વિસ્તારની પાણીની સમસ્યાના નિરાકરણ માટે અનેક વખત ગ્રામ પંચાયતને જાણ કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. પાણીની તંગીથી ત્રસ્ત લોકોને પીવાના પાણી માટે ભારે સંઘર્ષ કરવો પડે છે, પાણીની સમસ્યાથી ત્રસ્ત અનુસૂચિત જાતિના લોકો પાણીની સમસ્યાના નિરાકરણ માટે આખરે પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. અને માંગણીઓ નહીં સંતોષાય તો કલેક્ટર કચેરી સામે આંદોલન કરવાની ચેતવણી આપી હતી.