(GNS),19
ઉત્તર ગુજરાતના જીવાદોરી સમાન ધરોઈ ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે. ચાર દરવાજા 5 ફૂટ ખોલીને 28366 ક્યુસેક પાણી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. ઉત્તરવાસમાં વરસાદના કારણે ધરોઈ ડેમમાં 28366 ક્યુસેક પાણી પ્રવેશ્યું છે. હાલ ખરોઈ ડેમ 92.80 ટકા ભરાયો છે. સ્પીલ વેમાં 27516, બાય પાસ આઉટ લેટમાં 600, જમણા કાંઠાની કેનાલમાં 250 ક્યુસેક પાણી વહી રહ્યું છે. જેના કારણે અમદાવાદની મધ્યમાંથી વહેતી સાબરમતી નદીની જળસપાટી વધી રહી છે. જો કે આ પાણી અમદાવાદ માટે જોખમી નથી. કારણ કે, ઈન્દિરા બ્રિજ પરથી વાસણા બેરેજ ખાતે નદીનું સ્તર સાવ ઘટી ગયું છે.
જેથી ઉપરવાસમાંથી આવતું પાણી સીધું શહેરની બહાર વહી જશે, જેથી શહેરમાં પૂરનો ભય રહે નહીં. રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી પડી રહેલા વરસાદને કારણે સાબરમતી નદી પરના વાસણા બેરેજમાંથી છેલ્લા બે દિવસમાં લગભગ 13,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ નર્મદા મુખ્ય કેનાલમાંથી સાબરમતી નદીમાં 8040 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, સંતસરોવરમાંથી 20012 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, આજે સાંજ સુધીમાં વાસણા બેરેજમાંથી લગભગ 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. તેથી, વાસણા બેરેજના ડાઉનસ્ટ્રીમમાં સાબરમતી નદીના કિનારે આવેલા ગામોને સાવચેત કરવા માટે જરૂરી માહિતી આપવા વિનંતી કરવામાં આવે છે. ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદને કારણે સાબરમતી નદી અને તેની સહાયક નદીઓમાં પાણીનો પ્રવાહ નોંધાયો છે. સતત બે દિવસથી સાબરમતી નદીમાં નવી આવક નોંધાતા ધરોઈ ડેમના દરવાજા ખોલવાની સ્થિતિ સર્જાઈ હતી. સોમવારે તેઓ ધરોઈ ડેમના 4 દરવાજા ખોલવા આવ્યા હતા. ધરોઈ ડેમમાં સોમવારે બપોર બાદ વધતી આવક સામે ચાર દરવાજા ખોલવામાં આવ્યા હતા. ફરી સાબરમતી નદીમાં પાણી છોડવા આવ્યા છે. વાસણા બેરેજના 13 દરવાજા ખોલવામાં આવ્યા છે. 9 દરવાજા 2.5 ફૂટથી ખોલી શકાય છે, 2 દરવાજા 2 ફૂટથી અને 2 દરવાજા 4 ફૂટથી ખોલી શકાય છે.
વાસણા બેરેજમાંથી 16600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં નદીને નર્મદા મુખ્ય કેનાલમાંથી 8000 ક્યુસેક અને સંત સરોવરમાંથી 20000 ક્યુસેક પાણી મળી રહ્યું છે. બેરેજ પર નદીનું સ્તર 127.50 ફૂટ રાખવામાં આવ્યું છે. સાબરમતી નદીમાં જળસ્તર વધવાથી તે બે કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં સતત વરસાદને કારણે સાબરમતી નદીમાં જળસ્તર વધ્યું છે. સાબરમતીમાં આવતી વાત્રક અને સીધી નદીની જળ સપાટી વધી રહી છે. જો પાણીનું સ્તર વધુ વધે તો પૂરનો ભય છે. તારાપુર, નભોઇ, રીંઝા, ખાડા, જાફરગંજ, પચ્છેગામ સહિતના 14 ગામોના લોકોને જળસંકટને કારણે એલર્ટ કરવામાં આવ્યા છે. સાબરમતી નદીના કાંઠા પટના ગામડાઓમાં તંત્ર દ્વારા પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવ્યું છે. નદીમાં પાણીનું સ્તર વધવાને કારણે લોકોને નદી પાર ન કરવાની સલાહ આપવામાં આવી છે.
ધરોઈમાંથી પાણી છોડતા ગાંધીનગર જિલ્લાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. ગાંધીનગર તાલુકાના 17 ગામોને જ્યારે માણસાના 11 ગામોને એલર્ટ કરાયા છે. ગામો નદી કિનારે હોવાના કારણે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ધરોઈ ડેમમાંથી 28000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેમજ કલેકટરે નદી કિનારે આવેલા ગામોના લોકોને અને ખાણકામ સાથે સંકળાયેલા લોકોને નદીમાં ન જવા સૂચના આપી છે. ધરોઈ ડેમ પણ જુલાઈ મહિનામાં ઓવરફ્લો થયો હતો. સાબરકાંઠા અને ઉપરવાસ વિસ્તારને કારણે સાબરમતી અને તેની ઉપનદીઓમાં પાણીની નવી આવક નોંધાઈ હતી. જેના કારણે ધરોઇ ડેમમાં નવા પાણીની આવક નોંધાઇ હતી. ત્યારે સિઝનમાં બીજી વખત ધરોઇ ડેમમાં પાણીની આવક વધી છે.