પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના 2500 થી વધુ શિક્ષકો આજે અરવિંદ બાગ ખાતે એકઠા થયા હતા અને જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવા સહિતની માંગણીઓ સાથે મહાપંચાયત યોજી હતી. આજે મહેસાણા પહોંચ્યા બાદ 2500 જેટલા શિક્ષકોએ બપોરે 2 કિલોમીટરની પદયાત્રા કરી અરવિંદ બાર ખાતે મહાપંચાયત યોજી હતી. ત્યારબાદ ફરિયાદ પત્ર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યો હતો.મહેસાણા શૈક્ષણિક ફેડરેશન સાથે સંકળાયેલા શિક્ષકોએ બપોરે 3 કલાકે સોમનાથ ચોકડીથી રૂટ 1 પર અરવિંદ બાગ સુધી પદયાત્રા કાઢી હતી. ત્યારબાદ રૂટ 2ના પાટણ જિલ્લાના શિક્ષકો ગોપીનાળા થઈ રાધનપુર ચોક થઈને અરવિંદ બાગ અને રૂટ 3ના મહેસાણા જિલ્લાના શિક્ષકો પરા, ધોબીઘાટ, હાઈડ્રીચોક થઈને અરવિંદ બાગ પહોંચ્યા હતા.
રવિન્દબાગમાં 2500થી વધુ શિક્ષકોએ મહાપંચાયત યોજી હતી. જેમાં શિક્ષકોએ પાંચ મંત્રીઓના જૂથ સાથે કરેલા કરાર હેઠળ 1 એપ્રિલ, 2005 પહેલા નિમણૂક પામેલા તમામ શિક્ષકોને કેન્દ્ર સરકારની જેમ જૂની પેન્શન યોજનામાં સમાવવા અને 14 ટકા સરકારી ફાળો ઘટાડવાની માંગણી કરી હતી. કેન્દ્ર સરકારની જેમ શિક્ષકોના NPSમાં 10 ટકા કાપ સહિત અન્ય મુદ્દાઓ પર વિનંતીઓ કરવામાં આવી છે.